Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

સનાતન વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે માં વિશ્વંભરી તીર્થધામ..... વલસાડ

Автор: Bharat Netram

Загружено: 2025-04-08

Просмотров: 2500

Описание:

સનાતન વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે માં વિશ્વંભરી તીર્થધામ.....


ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે વલસાડ જિલ્લાના રાબડા ગામ ખાતે આવેલ માં વિશ્વંભરી તીર્થધામ ખાતે તા.૩૦-૦૩-૨૦૨૫ થી તા. ૦૭-૦૪-૨૦૨૦૫ સુધી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય મહોત્સવમાં વૈદિક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિદિન સવારના મહામૃત્યુંજય યજ્ઞ યોજાય છે, તેમજ રાત્રે વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસ-ગરબાનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન અને આધ્યાત્મિક કાર્યક્રમને નિહાળવા તથા તેમાં ભાગ લેવા માટે રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત થઈ રહ્યા છે. સ્ટેજ પર થતી આ દિવ્ય રાસ-ગરબાની ઝાંખી જોઈ સૌ કોઈ અભિભૂત થઈ જાય છે અને અંતરાત્મામાં એક અનોખી ધન્યતા અને આનંદની અનુભૂતિ કરે છે.
મહોત્સવમાં ગરબા રમતી બાળાઓને જોઈ ભક્તજનોને જાણે સાક્ષાત દિવ્ય શક્તિઓ આ ધરતી પર ઉતરીને રાસ-ગરબે રમતી હોય, તેવી અલૌકિક અનુભૂતિ થઈ રહી છે. આમ, માં વિશ્વંભરી તીર્થધામ વૈદિક સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે સેતુરૂપ બની, લોકજીવનને ધન્ય બનાવી રહ્યું છે. તેમજ આવા અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમ દ્વારા આ ધામ માત્ર ભારતવર્ષમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં આપણી મૂળભૂત વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે.

શ્રી મહાપાત્ર મહાશક્તિના આશીર્વાદ સાથે, માનવજાતને સત્ય અને અસત્યના ભેદ સમજાવી રહ્યા છે. તેમનું લક્ષ્ય છે મનુષ્યમાં રહેલી આસુરી વૃત્તિઓ અને અહંકારને દૂર કરીને સાત્ત્વિક શક્તિને જાગૃત કરવું.
માં વિશ્વંભરી તીર્થધામમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવ છેલ્લા ઘણાં વર્ષોથી શ્રી મહાપાત્રના માર્ગદર્શન હેઠળ ઉજવાતો આવ્યો છે. આગામી ૩૦-૦૩-૨૦૨૫ થી ૦૭-૦૪-૨૦૨૫ સુધી નવ દિવસ દિવ્ય અને અલૌકિક નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
દરરોજ સવારે ૭.૦૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી મહા મૃત્યુજય યજ્ઞ તથા રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ વાગ્યા સુધી સાંસ્કૃતિક રાસ-ગરબાનું આયોજન રહેશે. ખાસ વાત એ છે કે સ્વયં દિવ્ય શક્તિઓ આવા રાસ-ગરબામાં ગરબે રમે છે, દરેકને એક અનોખો અને દિવ્ય અનુભવ પ્રાપ્ત થાય છે. દર વર્ષે યોજાતા આ સાંસ્કૃતિક રાસ-ગરબા જોવા માટે માત્ર ભારતવર્ષના જ નથી પણ વિદેશથી ભક્તજનો પધારે છે.
માં વિશ્વંભરી તીર્થધામ દ્વારા સૌ ભાવિક ભક્તોને આત્મિક નિમંત્રણ છે કે, આ પવિત્ર અવસરે સૌ સાથે મળીને અંદર રહેલા અવગુણોનું હવન કરીએ, જીવનમાં દૈવિક ગુણો ઉતારીએ, વૈદિક સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતાં આ દિવ્ય નવરાત્રી મહોત્સવને હર્ષોલ્લાસભેર ઉજવીએ.

વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થધામ ખાતે ચૈત્રી નવરાત્રી દરમ્યાન નવ દિવસ ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે. જેમાં સવારે ૭.૦૦ થી ૧૨.૩૦ મહામૃત્યુંજય યજ્ઞ અને રાત્રે ૯.૦૦ થી ૧૧.૦૦ સુધી સાંસ્કૃતિક રાસ-ગરબા થાય છે. આ કાર્યક્રમ નિહાળવા દેશ-વિદેશથી રોજ-બરોજ મોટી સંખ્યમાં માનવ મહેરામણ ઉમટે છે. ઉપરાંત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઇવ પ્રસારણ 'Maa Vishvambhari Tirthyatra Dham' નામની YouTube ચેનલ પર કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા સમગ્ર વિશ્વમાં વસતા અસંખ્ય માઈભક્તો ઘરબેઠાં આ દિવ્ય કાર્યક્રમનો લાભ લઇ રહ્યાં છે.
વર્તમાન સમયમાં, જ્યારે સનાતન વૈદિક સંસ્કૃતિ માનવજીવનમાંથી સાવ વિસરાઈ જતી જોવા મળે છે, ત્યારે આ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય અને સમગ્ર વિશ્વમાં તેનું દિવ્ય તેજ ફરીથી પ્રકાશિત થાય – એવા શુભ સંકલ્પ સાથે ધામના સંસ્થાપક શ્રી મહાપાત્ર, માં વિશ્વંભરી ધામે દર્શનાર્થે આવતા ભક્તોને મર્યાદાને અનુરૂપ સંસ્કારયુક્ત વસ્ત્રો ધારણ કરવા માટે સતત પ્રેરિત કરી રહ્યા છે. એટલું જ નહીં, નવરાત્રીના પાવન અવસર પર વૈદિક પ્રણાલી અનુસાર યોજાતા સાંસ્કૃતિક રાસ-ગરબા તથા મહાયજ્ઞ જેવા અલૌકિક અને દિવ્ય કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને સનાતન વૈદિક સંસ્કૃતિના અમૂલ્ય સિદ્ધાંતો, પરંપરાઓ તથા જીવનમૂલ્યોનું જીવંત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી, આ સંસ્કૃતિને પુનઃ જીવંત કરી રહ્યા છે.
તદુપરાંત ભગવાન શ્રીરામે ચરિતાર્થ કરેલ આદર્શ કુટુંબ વ્યવસ્થા અને શ્રીકૃષ્ણે પ્રબોધેલી આદર્શ સમાજ વ્યવસ્થા, આજના યુગમાં ધીમે-ધીમે વિસરાતી જઈ રહી છે, ત્યારે શ્રી મહાપાત્રએ વિશ્વભરમાં અસંખ્ય પરિવારોના ઘરોને પવિત્ર ઘરમંદિરોમાં પરિવર્તિત કરીને, વિસરાઈ ગયેલી આ બંને આદર્શ વ્યવસ્થાઓને ફરી એક વાર પુનઃપ્રસ્થાપિત કરી રહ્યા છે.

સનાતન વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે માં વિશ્વંભરી તીર્થધામ.....
ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે વલસાડ જિલ્લાના રાબડા ગામ ખાતે આવેલ માં વિશ્વંભરી તીર્થધામ ખાતે તા.૩૦-૦૩-૨૦૨૫ થી તા. ૦૭-૦૪-૨૦૨૦૫ સુધી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય મહોત્સવમાં વૈદિક શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિદિન સવારના મહામૃત્યુંજય યજ્ઞ યોજાય છે, તેમજ રાત્રે વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસ-ગરબાનું અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન અને આધ્યાત્મિક કાર્યક્રમને નિહાળવા તથા તેમાં ભાગ લેવા માટે રોજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત થઈ રહ્યા છે. સ્ટેજ પર થતી આ દિવ્ય રાસ-ગરબાની ઝાંખી જોઈ સૌ કોઈ અભિભૂત થઈ જાય છે અને અંતરાત્મામાં એક અનોખી ધન્યતા અને આનંદની અનુભૂતિ કરે છે.
મહોત્સવમાં ગરબા રમતી બાળાઓને જોઈ ભક્તજનોને જાણે સાક્ષાત દિવ્ય શક્તિઓ આ ધરતી પર ઉતરીને રાસ-ગરબે રમતી હોય, તેવી અલૌકિક અનુભૂતિ થઈ રહી છે. આમ, માં વિશ્વંભરી તીર્થધામ વૈદિક સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે સેતુરૂપ બની, લોકજીવનને ધન્ય બનાવી રહ્યું છે. તેમજ આવા અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમ દ્વારા આ ધામ માત્ર ભારતવર્ષમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં આપણી મૂળભૂત વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે.

[email protected]
BHARAT NETRAM નજર દરેક ખબર પર
મુખ્ય સંપાદક સીમા ભટ્ટાચાર્ય
contact 9106108332

સનાતન વૈદિક સંસ્કૃતિ ઉજાગર કરી રહ્યું છે માં વિશ્વંભરી તીર્થધામ..... વલસાડ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

CHAITRA NAVRATRI 2025 | भक्ति की धारा और शक्ति की दिव्यता | चैत्र नवरात्रि महोत्सव 2025

CHAITRA NAVRATRI 2025 | भक्ति की धारा और शक्ति की दिव्यता | चैत्र नवरात्रि महोत्सव 2025

КАМБОДЖА СЕГОДНЯ ДЕКАБРЬ

КАМБОДЖА СЕГОДНЯ ДЕКАБРЬ

ШОКИРУЮЩЕЕ интервью пленного «МОНАХА». Из МОНАСТЫРЯ на ФРОНТ: «Я искал ТАМ СМЕРТЬ» | «Хочу жить»

ШОКИРУЮЩЕЕ интервью пленного «МОНАХА». Из МОНАСТЫРЯ на ФРОНТ: «Я искал ТАМ СМЕРТЬ» | «Хочу жить»

ГИТАРИСТ притворился БЕЗДОМНЫМ и шокировал ЛЮДЕЙ отбил ЛЮБОВЬ и ПРИОДЕЛСЯ

ГИТАРИСТ притворился БЕЗДОМНЫМ и шокировал ЛЮДЕЙ отбил ЛЮБОВЬ и ПРИОДЕЛСЯ

Virasat-e-Punjab | 3rd Annual Function | Rankers International Public School

Virasat-e-Punjab | 3rd Annual Function | Rankers International Public School

જંગલ કોનું? પાડલિયાની ઘટનાએ ડાંગની કેમ યાદ અપાવી? | Benefit News 24

જંગલ કોનું? પાડલિયાની ઘટનાએ ડાંગની કેમ યાદ અપાવી? | Benefit News 24

મીરા મલ્ટિપ્લેક્સ માં મૂવી

મીરા મલ્ટિપ્લેક્સ માં મૂવી "લાલો"માટે વિધાર્થીઓ તથા સ્ટાફ મેમ્બર્સ સાથે નું આયોજન કરેલ છે,...

ભાતીગળ લગ્નગીતો | Sagu Ahir

ભાતીગળ લગ્નગીતો | Sagu Ahir

ДА: расы, гены, интеллект и поведение.   #веллер  15 12 2025

ДА: расы, гены, интеллект и поведение. #веллер 15 12 2025

ભાગવુ કરીયાણુ ભાગ-3//Gujarati Comedy Video//કોમેડી વીડીયો SB HINDUSTANI

ભાગવુ કરીયાણુ ભાગ-3//Gujarati Comedy Video//કોમેડી વીડીયો SB HINDUSTANI

Ambaji બબાલ મુદ્દે Kanti Kharadi એ કહી દીધું આદિવાસીઓની ફરીયાદ 24 કલાકમાં લઈ લો નહીંતર... | Congress

Ambaji બબાલ મુદ્દે Kanti Kharadi એ કહી દીધું આદિવાસીઓની ફરીયાદ 24 કલાકમાં લઈ લો નહીંતર... | Congress

Marriage Registration Rule | ભાગીને કરાતા લગ્ન પર લાગશે બ્રેક? | ABP Asmita LIVE

Marriage Registration Rule | ભાગીને કરાતા લગ્ન પર લાગશે બ્રેક? | ABP Asmita LIVE

૧) વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી ૨)ધી સર્વોદય સહકારી બેંક મોડાસા ખાતે પરિવર્તન પેનલ નો  વિજય

૧) વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી ૨)ધી સર્વોદય સહકારી બેંક મોડાસા ખાતે પરિવર્તન પેનલ નો વિજય

Day - 03 | श्रीमद् भागवत सप्ताह | पूज्य भाईश्री रमेशभाई ओझा | आणंद, गुजरात #shrimadbhagwat #live

Day - 03 | श्रीमद् भागवत सप्ताह | पूज्य भाईश्री रमेशभाई ओझा | आणंद, गुजरात #shrimadbhagwat #live

В 2026 VPN НЕ ПОМОЖЕТ: Роскомнадзор Закрывает Интернет

В 2026 VPN НЕ ПОМОЖЕТ: Роскомнадзор Закрывает Интернет

Ambaji માં પાડલીયાની ઘટનામાં શરૂઆત પોલીસે કરી, Chaitar Vasava એ કહ્યું લોકોને દોડાવી દોડાવીને માર્યા

Ambaji માં પાડલીયાની ઘટનામાં શરૂઆત પોલીસે કરી, Chaitar Vasava એ કહ્યું લોકોને દોડાવી દોડાવીને માર્યા

AAPના નેતાઓ CM ને મળવા પહોચ્યા! કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે શું વાત થઈ? | Jamawat

AAPના નેતાઓ CM ને મળવા પહોચ્યા! કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે શું વાત થઈ? | Jamawat

Ambaji મા આદિવાસીઓને છંછેડવાનુ ભારે પડશે ? જુઓ નવા સંગઠનમાં કોને મળશે સ્થાન ? | Bjp Gujarat |

Ambaji મા આદિવાસીઓને છંછેડવાનુ ભારે પડશે ? જુઓ નવા સંગઠનમાં કોને મળશે સ્થાન ? | Bjp Gujarat |

Китай в напряжении — Япония разворачивает ракеты всего в 300 км от его побережья

Китай в напряжении — Япония разворачивает ракеты всего в 300 км от его побережья

 સુરતઃ જિલ્લા ના માંડવી માં. યુવા સંવાદ કાર્ય કર્મ યોજાયો.

સુરતઃ જિલ્લા ના માંડવી માં. યુવા સંવાદ કાર્ય કર્મ યોજાયો.

© 2025 dtub. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]