Shrimad Prakash Prabhu Satsang Samaroh at Bhiloda, Gujarat on 26th November 2025
Автор: yogini chauhan
Загружено: 2025-11-29
Просмотров: 312
આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એ અમાપ
ખૂબ જ આનંદની લાગણી સાથે જણાવીએ છીએ કે તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૦ થી ૧૨ ની વચ્ચે પરમ પૂજ્ય સંત- સત પુરૂષ શ્રીમદ્ પ્રકાશભાઈ શાહ (પ્રભુ) નો સતસંગ સમારોહનું આયોજન મુમુક્ષુ શ્રી દિનકરભાઈ મણિલાલ ચૌહાણના ઘર આંગણે એટલેકે નારસોલી રોડ, પાર્થ કિરાણા સ્ટોરની સામે, ભિલોડા ખાતે ખૂબ જ સુંદર રીતે પાર પડયું.
આ સતસંગ સમારોહનું આયોજન શ્રી દિનકરભાઈ ચૌહાણના સમસ્ત પરિવારે પૂરી મહેનત અને ખંતથી પુરી ધામિર્ક ભાવના અને લાગણીઓ સાથે ફક્ત બે દિવસમાં તૈયારીઓ કરીને પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર ની આતમસિદ્ધી ગાથાઓ ને તથા તેમના સંપૂર્ણ જ્ઞાનની ફિલોસોફી કે જે સંત શ્રી પ્રકાશ પ્રભુએ પોતે તપ કરી ને આત્માસાત કરેલ છે તથા આપણા સાબરકાંઠાના સાક્ષાત ભગવાનસમ શ્રીમદ જેશીગબાવજી ની સરળ ભક્તિ જેવીકે "સેવા, દયા, દાન અને પુણ્ય એજ ધર્મ નો મર્મ", સરળતાથી પુરા બે કલાકના સતસંગમા મોટી સંખ્યામાં પધારેલા મુમુક્ષુઓ / ભકતોને ગળે ઉતરે તેવી રીતે સમજાવેલ.
આ અપુરવ અવસરે ભિલોડા, ગોધમજી, ચોરીવાડ, વસાઈ, મુનાઈ, હિંમતપુર તથા અન્ય ગામના લગભગ બસો ભકતો કે જયા શ્રીમદ્ જેશીગ બાવજી તથા શ્રીમદ્ પ્રકાશ પ્રભુ ની પરમ ભક્તિ થાય છે, તેઓ સર્વ એ ભક્તિ નો લાહવો લીધેલ અને પાવન થયેલા.
તદુપરાંત શ્રીમદ્ પ્રકાશ પ્રભુએ તેમના કરકમલે શ્રીમદ જેશીગબાવજીની અનેક વર્ષોથી ભક્તિ અને સેવા યજ્ઞો જવા કે મૂકપ્રાણીઓ ને પાણી પીવા માટે એક્દમ છેવાડાના ગામોમા હવાડા બાંધવા તથા પક્ષીઓ માટે પંખીઘર બનાવવા અને તે માટે કાયમી ચણની વ્યવસ્થા કરવી જેવી અનેક સેવઓ સાથે જોડાયેલા મુખ્ય ભકતો ને શાલથી સનમાનીત કર્યા હતા.
આ સતસંગમા એક પુસ્તક કે જે શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, શ્રીમદ્ પ્રકાશ પ્રભુએ બહાર પાડવામાં આવેલ તે ભક્તિપુસ્તક હાજર દરેક ભકતોને તેમના સ્વહસ્તે પ્રદાન કરવામાં આવી હતી.
સતસંગ સમારોહની પુર્ણાહુતી પરમ ક્રુપાળુ દેવની સુંદર આરતી ઉતારી દરેક મુમુક્ષુઓ ભાવવિભોર બની ગયેલા તથા આખું વાતાવરણ સંપૂર્ણ ભક્તિમય થઈ ગયેલુ.
આ સતસંગ સમારોહ નિમિતે મુમુક્ષુ શ્રી દિનકરભાઈ ના પરિવાર વતી નીચે મુજબનું દાન પ્રભુ કૃપાથી પ્રદાન થયેલ છે:
1. Rs 25,000 શ્રીમદ્ રાજચંદ્ર સતસંગ પરિવાર, અમદાવાદ - એક હવાડા બનાવવાની સેવા માટે
2. Rs.5,000 ભિલોડાના પ્રાચીન બાવન જીનાલય- જૈન દેરાસરના જીર્ણોદ્ધાર નિમિત્તે
3. Rs 5,000 સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ..મંદબુદ્ધિ અને રક્તપિત્તવાળા જીવોની સેવાર્થે
4. Rs 2,000 ભિલોડા કબુતરખાના મા કબૂતરના ચણ માટે
5. Rs 5,000 ગોધમજી હોસ્પિટલ માટે.
6. Rs.5,000/- શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, ભિલોડા
7. Rs.5,000/- દરજી સમાજવાડી, ભિલોડા રીપેરીંગ માટે
8. Rs.5,000/- આરતીમાં દાન પેટીમાં આવેલું કેજે ભિલોડા કબુતરખાના મા કબુતર ચણ માટે
9. Rs.5,000/- *શ્રી એકલિગજી મહાદેવ મંદિર નારસોલી પેટે
10. Rs 3,000 ગોધમજી પંખીઘરમા કબૂતરના ચણ માટે
11. Rs.21, 000/- જ્ઞાનદાન પેટે જેવા કે ભક્તિબુક છપાઈ અથવા સતસંગ યુટ્યુબ લાઈવ પેટે
સતસંગ અને ભક્તિ સમારપણ પછી આવેલા દરેક ભક્તોએ સાત્વિક મહાપ્રસાદ નો લાભ પણ લીધેલ.
તથા શ્રી ઉદય સેવા સંસ્થાન, ભિલોડા દ્વારા સંચાલિત શ્રી શામળિયા મફત ટિફિન સેવામાં લગભગ ૩૫ લાભાર્થીઓને અહીંથી ટિફિન પહોચાડવામાં આવેલ.
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.🙏🙏🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: