Sarsiddhi Vivechan Kadvu - 40.2 | 16 Dec 2025 | Sadguru Mahant Swami Shri Devprasaddasji Swami
Автор: Swaminarayan Chintan
Загружено: 2025-12-15
Просмотров: 933
Dhanurmas Katha @ Gurukul Rajkot
Title : આત્માનું જ્ઞાન ક્યારે થયું કહેવાય
• ભગવાનનું ધ્યાન કરે તેને પોતાનો આત્મા દેખાય છે અને વિવેક થાય છે
• ભગવાનનું જ્ઞાન થાય તેને કોઈ પણ પ્રકારનો ભય રહે નહીં અને ભગવાનના જ્ઞાનનો અર્થ છે ભગવાનનો આશરે
• આત્મા છે એ અસંગ છે તે ક્યારેય અશુદ્ધ થતો જ નથી
• જેમ જેમ ખરાબ કર્મો કરે તેમ તેમ ધર્મભૂત જ્ઞાન સંકૂચિત થતું જાય છે અને સારા કર્મો કરે તેમ તેમ ધર્મભૂત જ્ઞાન પ્રકાશિત થતું જાય છે
• ધર્મભૂતજ્ઞાન માન્યતારૂપ છે અને અજ્ઞાનરૂપ છે
• કલ્યાણ અને બુદ્ધિનો વિવેક ભગવાનનું ધ્યાન, ઉપાસના અને મૂર્તિથી આવે છે
• હું ભગવાનનો સેવક છું એવી માન્યતા દ્રઢ થતી જાય તેમ તેમ બ્રહ્મમય દેહ બંધાતું જાય છે
• કેવલ્યાર્થીને જન્મમરણમાં નથી આવવું પડતું તોય તે અજ્ઞાન કહેવાય છે
• આ જીવ ક્યારેય શરીર વિના રહી શકતો નથી
• આત્મજ્ઞાન પાયા રૂપ છે પણ ફળ આપનારું ભગવાનનું જ્ઞાન છે
• ફળ આપનારી ભક્તિ છે અને બીજા ત્રણ - ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય તે રક્ષા માટે છે
• આત્મજ્ઞાન થાય તોય અજ્ઞાન છે પણ જ્યારે ભગવાનનું જ્ઞાન થાય ત્યારે અજ્ઞાન ટળે છે
• જીણામાં જીણો difference પકડી પાડવો તેને વિવેક કહેવાય અને તે ભગવાનના ધ્યાનથી આવે છે
• જીવનું સ્વરૂપ અને જીવનનું ધર્મભૂત જ્ઞાન એ બંને નોખા નથી
• આત્મા છે તે અસંગ છે પણ ધર્મભૂતજ્ઞાન pollute અને શુદ્ધ થાય છે
• બુદ્ધિ તત્વ માયાનું છે અને ધર્મભૂત જ્ઞાનનું ગોલક છે
• ભગવાનનું જ્ઞાન થાય છે તે ભગવાનની ઉપાસનાથી જ થાય છે
• આત્માએ જ્ઞાન સ્વરૂપ છે અને ધર્મભૂતજ્ઞાન તે પણ જ્ઞાન સ્વરૂપ છે પણ ધર્મભૂતજ્ઞાન તે આભા છે
• સ્વરૂપના અસ્તિત્વનું જ્ઞાન જીવને થાય છે પણ હું સુખરૂપ છું વગેરે તે ધર્મભૂત જ્ઞાનમાં થાય છે
• ભક્તને રક્ષા કરવા માટે ભગવાનનું જ્ઞાન સુદર્શનચક્ર કરતા મોટું છે
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: