‘લાલો, શ્રી કૃષ્ણ સદા સહાયતે’નાં નાયિકા રીવા રાચ્છની એવી મુલાકાત, જે ખૂબ ગમશે| Ramesh Tanna
Автор: Navi Savar
Загружено: 2025-12-09
Просмотров: 2456
આજે ‘નવી સવાર’માં અમે ગુજરાતી ફિલ્મ ‘લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે’નાં નાયિકા શ્રી રીવા રાચ્છ સાથેનો સંવાદ રજૂ કરી રહ્યાં છીએ. આ સંવાદ ખૂબ જ સરસ થયો છે. એમાં રીવાબહેનની અનેક અજાણી વાતો રજૂ કરવામાં આવી છે. તેમનો જન્મ ક્યાં થયો ? તેવો ભણ્યા ક્યાં ? તેઓ ખરેખર અભિનેત્રી બનવા માગતાં હતાં કે માત્ર નૃત્યકાર થવાય ઈચ્છતાં હતાં ? તેમને ‘લાલો’ ફિલ્મમાં કયાં બે દ્દશ્યો સૌથી વધારે ગમ્યાં, તેમનું વાચન કેવું છે? તેમના ઘડતરમાં માતા અને પિતાની ભૂમિકા કેવી છે ? અને તેઓ આજના યુવાનો માટે શું કહે છે ? આ બધી વાતો રસપ્રદ રીતે તેમણે કરી છે. આ નિખાલસ સંવાદમાં આપણને એક એવી યુવતીનો પરિચય થાય છે જે યુવતીના પિતા, વિરલ રાચ્છ નીવડેલા દિગ્દર્શક છે, માતા ફાલ્ગુનીબહેન નીવડેલાં અને પ્રતિબદ્ધ આદર્શ ગૃહિણી છે. એક યુવતી કે જે કલા સાથે જોડાયેલી હોય તે કેટલી સંવેદનશીલ અને પરિપક્વ હોય એ જો જાણવું હોય તો ચોક્કસ આ મુલાકાત સાંભળવી જ જોઈએ. આવી સુંદર મુલાકાત આપવા માટે અમે રીવા રાચ્છનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમે ભલે અત્યાર સુધી રીવા રાચ્છની ઘણી બધી મુલાકાતો જોઈ અને સાંભળી હશે, પણ આ મુલાકાત એમાં સાવ જુદી છે એની અમે તમને ખાતરી આપીએ છીએ.
Video Shoot & Edited by Kashyap Parmar
પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083
લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
Facebook: / ramesh.tanna.5
Instagram: https://www.instagram.com/navisavar?i...
#PositiveStorieswithRameshTanna #dadabhagvansatsang #RameshTanna
© All rights reserved with RAA Positive Media Private Limited 2024
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: